ભારત સરકારે શનિવારે નિકાસ પર પ્રતિબંધ હોવા છતાં છ પડોશી દેશોમાં 99,500 ટન ડુંગળીની નિકાસની મંજૂરી આપી હતી. સરકારે ખાસ કરીને મધ્ય પૂર્વ અને કેટલાક યુરોપીયન દેશોના નિકાસ બજારો માટે ઉગાડવામાં આવતી 2,000 ટન સફેદ ડુંગળીની નિકાસને પણ મંજૂરી આપી હતી. સરકારે દેશમાં ડુંગળીની ઉપલબ્ધતાને જાળવી રાખવા માટે 8 ડિસેમ્બર, 2023ના રોજ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ પડોશી દેશોમાં નિકાસને છૂટ અપાઈ છે.