અરવિંદ કેજરીવાલ, કે કવિતા વધુ 14 દિવસ જેલમાં જ રહેશે

  -/1
by garvigujarat
Published: April 23, 2024 (2 weeks ago)
લોકસભા ચૂંટણીના પ્રારંભના એક અઠવાડિયા પહેલા  કથિત દારૂ નીતિ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવેલા વિપક્ષી નેતાઓ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેસીઆરની સાંસદ પુત્રની ન્યાયિક કસ્ટડીને મંગવારે વધુ 24 દિવસ માટે લંબાવવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના વડા અને ભારત રાષ્ટ્ર સમિતિના નેતા બંને હાલમાં દિલ્હીની તિહાર જેલમાં છે. બંનેને હવે આગામી 7 મેના રોજ કોર્ટમાં રજૂ કરાશે.