વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર ભારતના રાજ્યોમાં ત્રીજા તબક્કાની ચૂંટણી પહેલા રવિવારે અયોધ્યામાં રામ મંદિરમાં રામ લલ્લાની મૂર્તિની પૂજા અર્ચના કરી હતી અને બે કિમી લાંબો રોડ-શો કર્યો હતો. મોદીના રોડ-શો પહેલા સમગ્ર અયોધ્યાને શણગારવામાં આવ્યું હતું. પીળી પાંખડીઓથી ‘ઓમ’ બનાવવામાં આવ્યું હતું. વિવિધ સ્થળોએ ફૂલોનો ઉપયોગ કરીને ધનુષ અને તીરની પ્રતિકૃતિઓ પણ બનાવવામાં આવી હતી. મોદી સાથે રોડ-શોમાં ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી અને ભાજપના ફૈઝાબાદના ઉમેદવાર લલ્લુ સિંહ જોડાયા હતાં. અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પછી મોદીની આ પ્રથમ મુલાકાત હતી.